ઉલ્લેખનીય છે કે જો આપણે આકાશગંગાના કયા ભાગમાંથી સૂર્ય રચાયો હતો તે શોધી કાઢીએ તો સૌરમંડળની અગાઉની સ્થિતિ જાણી શકીએ, આજ આપણે અહીં શા માટે છીએ તે સમજાવી શકશે. તદુપરાંત સૌરમંડળના ભાઈ-બહેન જેવા આ તારા પર જીવન હોવાની સાવ શૂન્ય નહીં તો થોડીઘણી શક્યતા છે એવું રામિરેઝે જણાવ્યું.
વધુમાં સૂર્ય જેવા તારાઓ તારામંડળની નર્સરીમાં જન્મે છે. HD162826 તરીકે ઓળખાતો તારો સૂર્ય કરતાં 15 ટકા વધુ મોટો છે અને તારામંડળ હરક્યુલરમાં 110 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. તેમણે સૂર્ય સાથેની તેની લિન્ક શોધવા આકાશગંગાનાં કેન્દ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાનું ટ્રેકિંગ પણ કર્યું હતું.